અમદાવાદ એર પોલ્યુશનના મામલામાં અગ્રેસર: અમદાવાદની હવામાં કેન્સર માટે કારણભૂત તમામ તત્વો, વાયુ પ્રદૂષણના કારણે 2495 લોકોએ જીવ ગુમાવ્યો; જાણો શહેરની હવામાં કેટલું છે પ્રદૂષણનું પ્રમાણ?
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan04072024_082319_Ah 1.jpg)
- 04 Jul, 2024
ભારતમાં દિવસને દિવસે એર પોલ્યુશન વધી રહ્યું છે. જોકે હવે તેને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ અંગે ગુરુવારે લૈંસેટનો એક રિપોર્ટ સામે આવ્યો છે. તે મુજબ ભારતના 10 મોટા શહેરોમાં થનારા 100માંથી 7 મોત ઝેરી હવાને કારણે થાય છે. પ્રદૂષણના કારણે અમદાવાદમાં 2,495 લોકોના મોત થયા છે. આ સિવાય અમદાવાદના પીએમ 2.5 માઈક્રોપાર્ટિકલના લેવલ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ પાર્ટિકલને કેન્સર માટે જવાબદાર ગણવામાં આવે છે. નોંધનીય છે કે આ અંગેનો સ્ટડી લેનસેટ પ્લેનેટરી હેલ્થ દ્વારા કરવામાં આવ્યો હતો.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 7 ટકા મોત માત્ર એર પોલ્યુશનના કારણે જ થાય છે. ભારતમાં હાલ 10 હજાર લોકોનો જીવ બચાવવા માટે મહત્વપૂર્ણ પગલા લેવાની જરૂર છે. એક રિસર્ચ મુજબ દિલ્હી સહિત અન્ય કેટલાક મોટા શહેરોમાં એર પોલ્યુશનના કારણે ફેફસા જ ખરાબ થઈ જાય છે. આવનારા સમયમાં તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
આ રિપોર્ટમાં 36 લાખ રિપોર્ટની વિગતોનું અધ્યન કરવામાં આવ્યું છે. જેમાં સામે આવ્યું છે કે અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, પૂના, મુંબઈ, સિમલા અને વારાણસીમાં પીએમ 2.5 માઈક્રોપાર્ટિકલના લેવલ પર હોવાનું બહાર આવ્યું છે. આ પાર્ટિલકલ કેન્સર થવા માટે કારણભૂત છે.
રિપોર્ટ મુજબ વર્ષ 2008-2019 દરમિયાન ઓછામાં ઓછા 33 હજાર લોકોના મોત પીએમ 2.5ના કારણે થયા છે. આ શહેરોમાં મોતનો આંકડો 7-2 ટકા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ રિપોર્ટમાં લગભગ 36 લાખ મોતનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ 2.5 પાર્ટિકલનું ધન મીટર 15 માઈક્રોગ્રામ છે.
ભારતમાં તેનું લેવલ 60 માઈક્રોગ્રામ પ્રતિ ધન મીટર રાખવામાં આવ્યું છે. જે WHOની ભલામણના ચાર ગણું છે. સૌથી વધુ ખરાબ આંકડો દિલ્હીમાં થનારા મોતનો છે. દિલ્હીમાં વાર્ષિક લગભગ 12 હજાર એટલે કે 11.5 ટકા લોકોના જીવ એર પોલ્યુશનના કારણે જાય છે. ગત આંકડા મુજબ દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેરો પૈકીનું એક છે.
મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં પણ પીએમ 2.5ના કારણે મોતની સંખ્યા વધુ હતી. પ્રદૂષણના કારણે અમદાવાદમાં 2495, બેંગલુરુમાં 2102, ચેન્નાઈમાં 2870, દિલ્હીમાં 11964, હૈદરાબાદમાં 1597, કોલકાતામાં 4,678, મુંબઈમાં 5091, પુનામાં 1367, શિમલામાં 59 અને વારાણસીમાં 831 લોકોના જીવ ગયા છે.
વિકસિત દેશોને એર પોલ્યુશનના ખતરાઓની ચિંતા નથી. હાલ વિકાસશીલ દેશોની સરકારે એર પોલ્યુશન પર કાબુ મેળવવાની જરૂરિયાત છે. રિસર્ચના જણાવ્યા મુજબ હાર્વર્ડ યુનિવર્સિટીએ આ અંગે કહ્યું છે કે પીએમ 2.5નું લેવલ ઘટાડવાથી અને આ સીમાને ઘટાડવાથી દર વર્ષે લોકના જીવ બચાવી શકાય છે.